નીસરણી
નીસરણી
તાઃ૩/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રથમ પગથીયે વંદન કરતાં,મળે છે આશીર્વાદ
વડીલની મળતી શુભકામનાએ,ઝંઝટ ભાગીજાય
……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
બીજે પગથીયે ભણતરલેતાં,મળે જીવનમાં સાથ
ઉજ્વળતા મળે જીવનમાં,જ્યાં મહેનતસંગે થાય
………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ત્રીજે પગથીયે સંસ્કાર સાચવતાં,વ્યાધી ભાગે દુર
આડીઅવળી ના વાટમળે,મળે સુખ જીવને ભરપુર
………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
ચોથે પગથીયે ભક્તિકરતાં,આ જન્મસફળ થઈ જાય
જલાસાંઇની સાચીભક્તિએ,જીવથી મુક્તિદ્રાર ખોલાય
………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
પાંચમે પગથીએ દેહના સહવાસે,કુટુંબપ્રેમ મળી જાય
સૌનો પ્રેમ અંતરથી મળતાં,દેહનાસંબંધીઓ સચવાય
………ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
છઠ્ઠે પગથીયે દુશ્મન આવે,પકડી વ્યાધીઓનો ભંડાર
સાચી રાહ ભક્તિનીજોતા,બારણેથીજ એ ભાગી જાય
……….ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
સાતમે પગથીએ સ્વાર્થ મુકી,નિર્મળજીવન લેવુ સાથ
શાંન્તિ મનની સાથે રહેશે,જે જીવોમાં રહે છે પળવાર
………..ત્યાં સ્વર્ગીય સુખ મળી જાય.
===============================