સાંઇ સ્મરણ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. સાંઇ સ્મરણ
તાઃ૩/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,નિર્મળ પ્રેમજ મેળવાય
માનવજીવન ઉજ્વળ જોતાં,પાવન કર્મ થઈ જાય
……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
પ્રભાતના પહેલા કિરણના,ખોલતા દ્વારે દર્શન થાય
ઉજ્વળતાનો અણસાર છે ભક્તિ,જે પુંજનથી લેવાય
સાંઇબાબાના સ્મરણ માત્રથી,જીવને રાહ મળી જાય
આવતી કાલને ઉજળી જોવા,બાબાની ભક્તિજ થાય
……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
માયા મોહના બંધન તો સૌને,ના જીવથી એ છોડાય
કળીયુગની કેડી છોડતા જીવથી,ભક્તિ સાંઇની થાય
મળે પ્રેમ સાંઇબાબાનો દેહને,સાર્થક જન્મ થતો જાય
શીવબાબાની મળેકૃપા,જ્યાં સાંઇબાબાની ભક્તિથાય
……….સાંઇ સાંઇનું સ્મરણ કરતાં.
===============================