હિંમત
. .હિંમત
તાઃ૨૨/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનની મક્કમતા જીવનમાં,કામ સરળ કરી જાય
હિંમત રાખી જીવન જીવતાં,પ્રભુ કૃપા મળી જાય
. …………………..મનની મક્કમતા જીવનમાં.
નિરાધારનો આધાર પ્રભુ છે,જે સદમાર્ગેજ મેળવાય
જીવનની અનેક કેડીમાં,ના ભક્તિ જીવ કદી ફસાય
સરળતાનો સંગાથ મળતાં,જીવે સફળતા મળી જાય
અજબલીલા અવીનાશીની,પાંગળો પર્વત ચઢી જાય
. …………………..મનની મક્કમતા જીવનમાં.
આનંદહૈયે ને પ્રેમ પારકાનો,સાચી હિંમતે મળી જાય
ના રહે દેખાવ મર્દાનગીનો દેહે,જે જીવન વેડફી જાય
મળી જાય કૃપા જલાસાંઇની,પાવન જન્મ કરી જાય
હિમંત હૈયે સાચી જ રહેતા,જગત આખુંય ભમી જાય
. ………………….મનની મક્કમતા જીવનમાં.
===================================