September 23rd 2012

જીવનસંગ

.                      જીવનસંગ

તાઃ૨૩/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ રાહ મળે અવનીપર,એ જ છે જીવની લાયકાત
મોહમાયાના વાદળ ભાગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                  ……………………..નિર્મળ રાહ મળે અવનીપર.
રાતદીવસ અવનીની રીત,સ્વર્ગમાં ના તેની કોઇ પ્રીત
પરમાત્માની આ અજબ લીલા,ના જગે કોઇની એ જીત
કર્મનીકેડી બંધનથીમળે,અવનીએ ક્યાંથીકએ મેળવાય
જગતપિતાની કરૂણા દ્રષ્ટિ,જીવે પાવનકર્મ કરાવી જાય
.                  …………………….નિર્મળ રાહ મળે અવનીપર.
દેહને સંબંધ અવનીથી,જે જીવને જ્યાં ત્યાં જકડી જાય
સંગમળે સત્કર્મીનો જીવને,જ્યાં સાચી ભક્તિથી ભજાય
મળે સાચીકેડી જીવને સંગથી,જ્યાં નિખાલસતા બંધાય
જન્મમરણની વ્યાધીછુટે,આંગણે સાચા સંત આવીજાય
.                …………………….. નિર્મળ રાહ મળે અવનીપર.

***********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment