November 6th 2012

શ્રધ્ધાનુ ફળ

.                      શ્રધ્ધાનુ ફળ

તાઃ૬/૧૧/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં રાખી શ્રધ્ધા કરતાં,સૌ કામ સરળ  થઈ જાય
મળી જાય સફળતા જીવનમાં,જે લાયકાતે મેળવાય
.                ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી મનથી ભક્તિ કરતાં,જલાસાંઇ  હરખાય
મળીજાય કૃપા સાચાસંતની,ત્યાંજીવન ઉજ્વળ થાય
આધી વ્યાધી નાઆવે બારણે,શાંન્તિ સદા મળી જાય
કરુણાસાગર છે અતિ દયાળુ,મળતી કૃપાએ સમજાય
.               …………………..મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધારાખી ભણતરકરતાં,મા સરસ્વતીની કૃપા થાય
દરેક વર્ષે ઉજ્વળ સોપાને,લાયકાતની ઇજ્જત  થાય
મળેસન્માન ભણતરમાં,જેજીવનમાં સફળતાદઈજાય
માનવજીવન સાર્થક બનતાં,માન સન્માન મળી જાય
.                 ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી સદમાર્ગ લેતા,માતા લક્ષ્મીની કૃપા થાય
મળીજાય મનનેશાંન્તિ જીવનમા,એ લાયકાતકહેવાય
પુંજામાતાની પ્રેમથીકરતાં,જીવનમાં ધનની વર્ષાથાય
નામાગણી નામોહ રહેજીવનમાં,જ્યાંમાતાની કૃપાથાય
.                   ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.

******************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment