November 11th 2012

મા ના શરણે

.                     મા ના શરણે

તાઃ૧૧/૧૧/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ જીવનો સંબંધ નિરાળો,જગના આગમને દેખાય
જન્મ દેતાજ જીવને માતાને,હૈયે અનંત આનંદ થાય
.                  …………………..દેહ જીવનો સંબંધ નિરાળો.
સંતાન બની અવતરતા દેહને,માનો પ્રેમ મળી જાય
માતાને હૈયે હેત ઉભરાય,જે નાના દેહને પણ દેખાય
સંસ્કારનીકેડી પકડાવેજીવને,દેવા ઉજ્વળ જીવનદોર
સમજી જાય જયાં જીવ કેડી,મળી જાય જીવનમાં પ્રેમ
.                …………………….દેહ જીવનો સંબંધ નિરાળો.
અંધકારથી ઉજાસ મેળવવા,જેમ આંખોને જ્યોત મળે
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં મળે માતાનો સાચો પ્રેમ
મળતા માના આશિર્વાદસંતાનને,જીંદગી ઉજ્વળ થાય
જન્મ સાર્થક મળે જીવને,જે અંતે મોક્ષ માર્ગ દઇ જાય.
.              ………………………દેહ જીવનો સંબંધ નિરાળો.

********************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment