જલારામનો જન્મદીન
.
.
.
જલારામનો જન્મદીન
તાઃ૨૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. (કારતક સુદ સાતમ )
વિરપુરના તો એ વૈરાગી, છે ભક્તિના અધિકારી
સંસારની કેડી સંગે રહી, બની ગયા એ વ્રજવાસી
એવા વિરપુરના એસંત,જેને વિરબાઇમાનો સંગ
. ………………..વિરપુરના તો એ વૈરાગી.
અન્નદાનની કેડી પકડી,નાગયો એને કળીયુગ જકડી
ભક્તિભાવથી પ્રીતકરીને,ઉજ્વળ જીંદગી કરી લીધી
અવનીપરના આગમનને,પ્રભુકૃપાથીએ સાંધી દીધી
મોહમાયા ત્યજી દઇને,ઠક્કર કુળને પાવનકરી લીધુ
. …………………..વિરપુરના તો એ વૈરાગી.
સાચી ભક્તિરાહ બતાવી,જીવની મુક્તિ માગી લીધી
આવ્યા અવનીએ જગતઆધારી,સાચી ભક્તિ માણી
દીધી જીવનસંગીની પ્રભુને,ઝોળી ડંડોઆપ્યા ભાગી
ભક્તિ મનથી કરતાં સાચી,પ્રભુપરિક્ષા સાર્થક લીધી
. ……………………વિરપુરના તો એ વૈરાગી.
———————————————————-
જલારામ જલારામ જલારામ જલારામ જલારામ જલારામ
+++++++++++++++++++++++++++++++++++++
. .આજે પુજ્ય જલારામ બાપાનો જન્મદીવસ છે.તેની યાદ રૂપે આ જન્મદીન કાવ્ય
પુ.બાપા અને વિરબાઇમાતાના ચરણમાં સપ્રેમ પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હિમાના
વંદન જયજલારામ સહિત અર્પણ.