લહેરની પળ
. લહેરની પળ
તાઃ૧૪/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેંર મળે કુદરતની જીવ પર,જીવનમાં લહેર મળી જાય
સુખ શાંન્તિના વાદળ વરસે,મળેલ જન્મસફળ થઈ જાય
. ………………….મહેર મળે કુદરતની જીવ પર.
આરાધના કુળદેવીની કરતા,રાહ સાચી જીવને મળી જાય
કૃપા મળતા માતાની જીવને,દેહની વ્યાધીઓ ભાગી જાય
ભક્તિપ્રેમને સાચવીજીવતા,સંસારમાં સુખસાગરછલકાય
પળેપળને સંભાળી જીવતા,માતાની અખંડકૄપા મળી જાય
. …………………..મહેર મળે કુદરતની જીવ પર.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સગાસંબંધી હરખાય
કુદરતની એક શીતળલહેરે,કર્મની સાચીકેડી જીવને મળીજાય
લહેર બને જો ઝાપટ અવનીએ,અનંત વ્યાધીઓમાં ફસાવાય
સંત જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,આવતી તકલીફ અટકી જાય
. ……………………મહેર મળે કુદરતની જીવ પર.
+++++++++++++++++++++++++++++++++++