શીતળતાનો સંબંધ
……………………… શીતળતાનો સંબંધ
તાઃ૯/૯/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
# જનજીવનમાં જ્યારે મન મળે ત્યારથી જીવનમાં શીતળતાનો
સહવાસ થાય છે.
# મનુષ્યના જીવનમાં જ્યારે સાચો પ્રેમ મળે ત્યારે તે જીવનમાં
શીતળતાનો અનુભવ કરે છે.
# પ્રેમનો સહવાસ શીતળતા રેલાવે છે.
# સંતાન અને માબાપનો પ્રેમ શીતળતા આપે છે.
# ચાંદાની ચાંદની પૃથ્વીના જીવોને શીતળતા આપે છે.
# સાચો પ્રેમ પતિપત્નીના જીવનને શીતળ બનાવે છે.
# જ્યાં પ્રેમનો સહવાસ હોય ત્યાં શીતળતા શોધવી ના પડે કારણ
સાચા પ્રેમની નિશાની જ શીતળતા છે.
# ભાઇ બહેનનો સાચો પ્રેમ પણ શીતળતા રેલાવે છે.
# શીતળતા એટલે શાંન્તિ અને નિશ્વાર્થ ભાવના.
# સહાધ્યાયીનો પ્રેમ પણ શીતળતાનો સ્પર્શ કરાવે છે કારણ તેમાં
એક બીજાને મદદ કરવાની ભાવના સમાયેલ છે.
# સમયસર થયેલ કોઇપણ કામ જીવનમાં શીતળતા લાવે છે.
# સાચા સંતની સેવા ભક્તિજીવનમાં શીતળતાનો સંગાથ આપે છે.
શીતળતા એટલે મનુષ્ય જીવનમાં મનની શાંન્તિ અને જીવને આનંદ.
====================================================