જીવનસંગ
. જીવનસંગ
તાઃ૨૩/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ રાહ મળે અવનીપર,એ જ છે જીવની લાયકાત
મોહમાયાના વાદળ ભાગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
. ……………………..નિર્મળ રાહ મળે અવનીપર.
રાતદીવસ અવનીની રીત,સ્વર્ગમાં ના તેની કોઇ પ્રીત
પરમાત્માની આ અજબ લીલા,ના જગે કોઇની એ જીત
કર્મનીકેડી બંધનથીમળે,અવનીએ ક્યાંથીકએ મેળવાય
જગતપિતાની કરૂણા દ્રષ્ટિ,જીવે પાવનકર્મ કરાવી જાય
. …………………….નિર્મળ રાહ મળે અવનીપર.
દેહને સંબંધ અવનીથી,જે જીવને જ્યાં ત્યાં જકડી જાય
સંગમળે સત્કર્મીનો જીવને,જ્યાં સાચી ભક્તિથી ભજાય
મળે સાચીકેડી જીવને સંગથી,જ્યાં નિખાલસતા બંધાય
જન્મમરણની વ્યાધીછુટે,આંગણે સાચા સંત આવીજાય
. …………………….. નિર્મળ રાહ મળે અવનીપર.
***********************************************************