સાળંગપુરના હનુમાન
તાઃ૨૧/૩/૨૦૦૯ શનીવાર પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાળંગપુરથી કૃપા થઇ, ત્યાં બિમારી ભાગી ગઇ
શક્તિદાતા પવનપુત્રની, શનીવારે જ્યાં પુંજાથઇ
……..સાળંગપુરથી કૃપા થઇ.
પ્રેમ ભાવથી દીવો કીધો,ને દ્રઢ નિર્ણય કરી લીધો
કૃપાપામવા અંજનીપુત્રની,મનથી ભક્તિ શરુકીધી
……..સાળંગપુરથી કૃપા થઇ.
સિંદુર,તેલથી પુંજન કરી,મેં પ્રેમે તેલનોદીવોદીધો
પરમકૃપાળુ,ભક્તિઆધારીનુ,શરણુ મેં માગી લીધુ
……..સાળંગપુરથી કૃપા થઇ.
સુખ કર્તા,દુઃખ હર્તા,પ્રભુ રામના પણ છે એ વ્હાલા
માતા સીતાની પામી કૃપા, ભક્તિ ગંગામાં ન્હાતા
……..સાળંગપુરથી કૃપા થઇ.
ભુત પ્રેત જગમાં ભગાડી,ભક્તિંમાં દેતા એ સાથ
આવશે આજે આંગણેમારે,શનીવારનો છેસહવાસ
……..સાળંગપુરથી કૃપા થઇ.
ભાગે ભુત ને ભુવો ભાગે, જ્યાં ગદા દેખાઇ જાય
કેસરીનંદનની દયા મળે,જે ભક્તિ જગમાં ન્હાય
……..સાળંગપુરથી કૃપા થઇ.
નમોહનુમંતે નમોહનુમંતે,કહેતાઆનંદ મનેથાય
ભક્તિમાં જેમળે આ દેહે,જગમાં તે ના કમાવાય
……..સાળંગપુરથી કૃપા થઇ.
હનુમાનદાદાકે પવનપુત્ર,અંજનીપુત્રકે શનીશ્વરદેવ
જગમાં દીધા નામઅનેક,પણ ભક્તિમાંશક્તિછેએક
……..સાળંગપુરથી કૃપા થઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++