June 1st 2009

ઉદય અને અસ્ત

                   ઉદય અને અસ્ત

તાઃ૩૧/૫/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવાર સાંજની છે  શિતળતા,જે માનવતા દઇ જાય
હૈયે હેત ને ટાઢક મળતા,ઉજ્વળ માનવજીવન થાય
                                     ………સવાર સાંજની છે.

સુર્ય કિરણના આગમનથી, પ્રભાત પ્રેમાળ થઇ જાય
પંખી પ્રાણી છોડી નિંદર,કિલ્લોલ કરતાં જગે લહેરાય
દેખી જીવન દૈહીક સાચુ,જીવ ના ભટકી રહે જગમાંય 
કેવળ પામી પ્રેમ કુદરતનો, પાવન ધરતી થઇ જાય
                                       ………સવાર સાંજની છે.

તપે જ્યાં સુરજ મધ્યાહને,જગ આકુળ વ્યાકુળથાય
શોધે સહારો જગત જીવો ભઇ, ક્યાં મળે છે વિસામો
જોશ જુવાનીનુ જ્યાં તરસે,ત્યાં કોઇ મળેના કિનારો
હામ રાખી હૈયે પ્રગટાવો,પ્રેમથી મળશે જગે સહારો
                                       ………સવાર સાંજની છે.

સંધ્યાકાળના કોમળ કિરણો,અંત દિવસનો એ લાવે
માનવજન્મના બંધનમાં,ધડપણ જગમાં જેમઆવે
તીર્થ સ્થાનને નજરમાં રાખી, ભક્તિરંગે જીવ જાગે
અસ્ત થાય જેમ કિરણનો, તેમ મૃત્યુ સમીપે આવે
                                       ………સવાર સાંજની છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment