પાવનદ્વાર
પાવનદ્વાર
તાઃ૨૧/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યા આજ આંગણે,વિરપુરના જોગી જલારામ
ભક્તિ પ્રેમ હૈયે રાખી, લઇ આવે વિરબાઇ માત
……આવ્યા આજ આંગણે.
જીવનપ્રેમે જગમાં જીવી,મનથી સૌને દીધા હેત
માયાનાબંધન બાંધી પ્રભુથી,મનથી કીધી પ્રીત
આંગણેઆવેલ જીવનેદેતા,સાચોપ્રેમભાવઅતીત
ના રાખતા માંગણી કે મોહ,જેની જગમાં છે રીત
…….આવ્યા આજ આંગણે.
ભક્તિ જેના હૈયે વસે છે,સદા જગે નમે છે શીશ
કર્તા હર્તા જગના નિયંતા,ના જગે મંગાવે ભીખ
સંસારના બંધન નિરાળા,ને માયાના પકડીચાલે
મળીજાય જ્યાં પ્રભુપ્રીત,સૌ અળગાત્યાંથી ભાગે
……આવ્યા આજ આંગણે.
####################################