June 23rd 2009

મંદીરનો અણસાર

               મંદીરનો અણસાર

તાઃ૨૨/૬/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પત્થરમાં પરમાત્મા બતાવે,કળીયુગની આ આંખે
પડદા બંધકરીને માનવી,ભઇ પોઢારે પ્રભુને આજે
                               ……..પત્થરમાં પરમાત્મા.
કળીયુગની આ અકળ લીલાને, જાણે કદી ના મન
કેવી લીલા જગતપિતાની,ના સમજમાં આવે મારી
સુર્યોદયના સહવાસેજાગે,ને સુર્યાસ્ત પછી સુઇજાય
માનવી જગતમાં દીવસે જાગે, ને રાત્રે પોઢી જાય
પત્થરમાં પ્રાણમુકીને માનવ,પડદા બંધ કરાવે મન
પોઢારે બપોરે બાર વાગે, ને જગાડે સાંજે ચાર વાગે
કેવી વૃત્તી ભઇ માનવની,  ના સમજ મને કંઇ આવે
                                   ……..પત્થરમાં પરમાત્મા.
સંબંધ જીવનો સાચો પ્રભુથી,જે કર્મના બંધને લઇ જાય
જન્મ મળે જ્યાં અવનીએ, ત્યાં લાગણી ને પ્રેમ ઉભરાય
દેહ દીધો છે આ પરમાત્માએ, ના માનવીની કોઇ હિંમત
પ્રાણલાવે ક્યાંથી માનવી,જેને અસ્તિત્વનો ના અણસાર
ઉભરોબતાવે પ્રભુપિતાનો,દેખાવને વળગીચાલે પળવાર
સમજ ના માનવીને સંસારે, અંધકારને જ  વળગી જાય
નાઅંત સુધરે કે જીવન,વળગે જન્મોજન્મના લફરાં ચાર
                                      ……..પત્થરમાં પરમાત્મા.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment