આવ્યો શ્રાવણ
આવ્યો શ્રાવણ
તાઃ૧૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
માતા દુર્ગામાં રવિએ શ્રધ્ધા,જે સાચી ભક્તિએ લઇજાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળી જાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગી જાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળી જાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
=++++++++++++++++++++++++++++=