ભક્તિનો પથ
. ભક્તિનો પથ
તાઃ૨૩/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોળાનાથની ભક્તિકરતાં,જીવને સુખશાંન્તિ મળી જાય
મોહમાયાની ચાદર છુટતા,જીવનો જન્મ સફળ થઇ જાય
. …………………ભોળાનાથની ભક્તિ કરતાં.
શીતળતાનો સંગ રહેતા,શ્રી ભોળાનાથની કૃપા થાય
પામર જીવને રાહમળતા,સાચો ભક્તિપથ મળી જાય
નિર્મળ ભાવનાએ પુંજન કરતાં,વ્યાધીઓ ભાગી જાય
પરમાત્માનીપરમકૃપાએ,જીવને રાહ સાચી મળીજાય
. ………………….. ભોળાનાથની ભક્તિ કરતાં.
ધર્મ કર્મની કેડી સમજતા,સાચીમાનવતા મહેંકી જાય
અવનીપરના આગમનને બીરદાવતા,પુંજાપ્રેમે થાય
ભક્તિપથની અજબ શક્તિની,કૃપા જીવ પરથઈ જાય
જીવને મળેલ આમાનવદેહ ,ઉજ્વળ રાહને પક્ડી જાય
. ……………………ભોળાનાથની ભક્તિ કરતાં.
==================================