August 28th 2020
. .સુર્યનારાયણ
તાઃ૨૮/૮/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દરરોજ સુર્યદેવના ઉદાય અસ્તથી,દુનીયાને સવારસાંજ મળી જાય
પવિત્રપાવનકૃપા જગતપર સુર્યદેવની,જે દેહને જીંદગી આપી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
ભક્તિમાર્ગની પવિત્ર રાહે જીવતા,સવારમાં સુર્યદેવને અર્ચના થાય
સુર્યદેવના દર્શન કરી આંગણે,ઓમ હ્રીં સુર્યાય નમઃ મંત્ર બોલાય
પાવનરાહે જીવવાની રાહમળે જીવને,જે પરમાત્માની કૃપા કહેવાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,કરેલ અર્ચનાએ જ મેળવાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
મારૂતારૂ ના સ્પર્શે દેહને જીવનમાં,એ પાવનકૃપા સુર્યદેવની થાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે જીવનમાં માનવતા મહેંકાવી જાય
જન્મમરણનો સંગાથ છે જીવને,એ થયેલ કર્મના સંબંધે પ્રેરી જાય
સવારસાંજનો સંબંધ છે સુર્યદેવને,જે અબજો વર્ષોથી પ્રસરી જાય
....અવનીપરના આગમન વિદાયથી,મળેલદેહના જીવોને સુખશાંંતિ મળી જાય.
===========================================================