November 10th 2020

પાવનકર્મની રાહ

.          . પાવનકર્મની રાહ
તાઃ૧૦/૧૧/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલદેહને પાવનકર્મની રાહ મળી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
નિર્મળ ભાવનાસંગે જીવન જીવાય,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ થાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય.
કુદરતની કૃપા અનેક સમયથી,જીવને મળેલરાહે આવનજાવનથી દેખાય
નિર્મળરાહ મળે જીવના મળેલ દેહને,એ ગતજન્મે કરેલ કર્મથી મેળવાય 
ના માગણી મોહનો સ્પર્શ અડે,જ્યાં પાવનરાહે માનવજીવન જીવી જાય
પાવન ભક્તિનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પવિત્ર આશિર્વાદ મેળવાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય.
કર્મ એ પરમાત્માની કૃપા જગતપર,જે જન્મમરણનો સંબંધ આપી જાય
અનેકદેહનો આધાર જીવનો અવનીપર,માનવ દેહથી જ જીવને સમજાય
પશુપક્ષીએ નિરાધાર દેહ જગતપર,જે દેહને નાકોઇ સમજણ મળી જાય
અદભુત કર્મની લીલા જીવને સ્પર્શે,એ અનેકરાહ મળેલદેહને આપી જાય
.....એ અજબલીલા અવનીપર દેહને સ્પર્શે,જે મળેલ માનવદેહને કર્મથી સમજાય
==============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment