November 19th 2020

મળેલ રાહ

****Layout 1****
.              .મળેલ રાહ                     
તાઃ૧૯/૧૧/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભજનભક્તિનો સંગ રાખીને જીવતા,જીવને ના કળીયુગની કાતર અડી જાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહને સુખશાંંતિ આપી જાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
અવનીપરનુ આગમન એ કર્મનોસંબંધ જીવનો,જે જીવને આગમનથી જ દેખાય
પાવનરાહ મળે દેહને ભજનભક્તિની નિર્મળરાહે,જીવના દેહને સાર્થક કરી જાય
ગતજન્મે થયેલકર્મ એ જીવને મળેલદેહના,જે જીવને આગમનવિદાયથી સમજાય
અદભુતકૃપા અવીનાશીની જીવપર,એ મળતા માનવ પશુ પક્ષીના દેહથી દેખાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ના મંદીર મસ્જીદ ચર્ચને ઉઘાડબંધ કરાય
થાય પરમાત્માની કૃપા મળેલ કુટુંબ પર,જે જીવના સંબંધને પાવનરાહે દોરી જાય
જીવને સંબંધ છે અવનીપરના આગમનવિદાયનો,ના કોઇ જીવથી કદીય છટકાય
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા કે અપૅક્ષા સ્પર્શ કરીજાય
.....એજ કૃપા પરમાત્માની માનવદેહ પર,જે મળેલ દેહનુ જીવન સાર્થક કરી જાય.
*****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment