April 21st 2022
. જય શ્રી જલારામ
તાઃ૨૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરગામના પવિત્રસંત શ્રી જલારામ,જે માનવદેહને પવિત્રરાહ દઈ જાય
જગતમાં ભક્તિની પવિત્રરાહ પકડીને,માનવદેહને ભોજનની પ્રેરણાકરીજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પવિત્રરાહે જીવનજીવવા પ્રભુની પાવનકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીભક્તિ કરાય
વિરપુરગામમાં ઠક્કરકુળમાં જન્મલીધો,જેમને જગતમાં સંતજલારામકહેવાય
મળેલદેહના કુળને પવિત્રરાહે લઈજવા,પત્નિ વિરબાઈનો સાથ મળી જાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
પવિત્રકૃપા પ્રભુની ભક્તોનેમળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજાકરાય,જે દેહને પાવનરાહે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવતા જલારામથી,પ્રભુ પત્નિવિરબાઈથી સેવામાગી જાય
અંતે ભગવાન વિરબાઇનેઝંડો ઝોળી આપીને,માનવદેહથી અદ્રશ્ય થઈજાય
.....પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય.
====================================================================
No comments yet.