જોગીની માયા
………………… જોગીની માયા
તાઃ૨૨/૭/૧૯૮૩ ….(ગુરુપુર્ણીમા) …પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા લાગીરે મને ફરતા આ જોગીની…..(૨)
કાયાનું ભાન નહીં, મોહનું નામ નહીં
જીવતર આપ્યુ છે જેણે જાણી,ઓ યોગી તારી
……..માયા લાગી રે
જાણે અજાણે મારા દેહથી હું નમું છુ
…………….. ભવસાગરમાં ખોબલા ભરું છુ
ક્યારે તરાસે આ જીવની ઝંઝટ ને
મોહ મને નહીં તરવા દે…માયા લાગી
ગુરુ બનાવી પુરુ કરવાની
……………….. મનમાં છે તમન્ના પણ જાગી
જનમ મરણનું વ્યર્થ આ સર્જન
છુટશે હવે સાચી સેવાથી….માયા લાગી.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼