મંદીરના બારણે
. .મંદીરના બારણે
તાઃ૨૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો પ્રભુ હુ બારણે આજે,કરજો કળીયુગથી મને દુર
ના આવી મળે વ્યાધી ઉપાધી,ચરણે લાગી કરુ હુ ધુન
. ……………….આવ્યો પ્રભુ હુ બારણે આજે.
જીવનેશાંન્તિ મળીમાગતાં,આપનીકૃપા મળતી દેખાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરું હું,જેનાથી પ્રેમ તમારો લેવાય
માયા ભાગે દુર જગતની,મળે જીવનમાં પ્રેમ ભગવાન
દેજો મુક્તિ મળેલ જીવથી,જીવનો જન્મસફળથઇ જાય
. ………………..આવ્યો પ્રભુ હુ બારણે આજે.
પ્રભુ રામનું સ્મરણ કરતાં,મંદીરનુ બારણુ ખુલ્યુ છે ભઈ
મનનેશાંન્તિ મળતીઆવી,જ્યાં જલાસાંઇની ભક્તિથઈ
ના માગું હું મોહ કે માયા,કે ના કદી અભિમાન મળે અહીં
મુક્તિ મેળવવા કાજે,માગુ કૃપા મારા મંદીરના દ્વારે જઈ
. …………………આવ્યો પ્રભુ હુ બારણે આજે.
*****************************************************