પીંધા જાણી જાણી
…………………. પીંધા જાણી જાણી
તાઃ૧/૬/૧૯૭૫ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યાં સુધી મારુ મનડું ના માને
મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી
કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને ,આ મારુ મનડું રે………..જ્યાં સુધી
તમને દીધેલા વચનો જ પાળ્યા
કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી
દીવસ અને રાતન વૅણ જુદા છે
ક્યાંથી એ મળશે મન કહે મારું
જોયુ જેમ જાણ્યું છે કરમ માણીશુ રે………….જ્યાં સુધી
- _________________________________________