ભક્તિનો પ્રતાપ
………. …………….. ભક્તિનો પ્રતાપ
તાઃ૨૫/૯/૨૦૦૮ ……. …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગમાં જીવન મહેંકી જાય,ને હૈયે અનંત આનંદ થાય
મનને શાંન્તિ મળતીજાય,ને પ્રીત સદા જીવનમાંથાય
જ્યાં લગનીભક્તિથી થાય,ત્યાંજીવન પ્રેમેજીવી જવાય
………. …….માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
સંતની સેવા ને માર્ગ લીધો, જ્યાં મળે જીવને સંતાપ
ના માગણી કરી કદી કે ના આશા જીવને કોઇ દેખાય
મળે મનને શાંન્તિ પ્રભુથી જે જીવને મુક્તિએ લઇજાય
…….. ……માગું હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
જય જલારામનું રટણ ને સંત સાંઇબાબા ભજાય
લખ્યા લેખ મિથ્યા થાય જ્યાં સાચા સંતને સમરાય
ભક્તિ ની શક્તિ છે એવી જે મુક્તિ ના ખોલે છે દ્વાર
………………… …..માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય
—————————————————————————