July 14th 2009

ભીખ અને ભરોસો

                   ભીખ અને ભરોસો

તાઃ૧૩/૭/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર વિશાળ કરુણાનો,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નદીની થઇ જાય નહેર ,જ્યાં ભીખ મંગાતી થાય
                             …….સાગર વિશાળ કરુણાનો.

સત્ય વચન ને વાણીના, વહેણ જ્યાં વહેતા જાય 
મળે માનવતા ને હેત, જે ભીખથી પણના મંગાય
અંતરમાં ઉભરે આનંદ,ને મનમુંઝવણથી દુર થાય
સફળથાય આમાનવજન્મ,જ્યાં ભીખ ભાગતીજાય
                               …….સાગર વિશાળ કરુણાનો.

નિત્ય સવારની ઉજાસમાં,જ્યાં મન પ્રભુમાં પરોવાય
માયાભાગેદુર ત્યાંથી,ને સરળતા જીવનમાં મળીજાય
કૃપા વરસે અવિનાશિની, જ્યાં શ્રધ્ધા ભક્તિથી થાય
ભીખજગતમાં છે કાયરતા ને ભરોસે ભવસુધરી જાય
                                 …….સાગર વિશાળ કરુણાનો.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment