શુક્રવાર
શુક્રવાર
તાઃ૨૬/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર થી રવિવાર એ સાત દિવસ કહેવાય
શુક્રવાર મા સંતોષીનો જે પવિત્રદીન ઉજવાય
…….સોમવાર થી રવિવાર એ
ભક્તિ સ્નેહ ને શ્રધ્ધા રાખીને વંદન માને કરવા
ઉજ્વળ જીવન દીસે સદા જ્યાંલાગે કૃપા મળવા
મા સંતોષી અતિ દયાળુ જો જીવ જગતમાંભજે
આવે આંગણે મા કૃપાળુ જેની પ્રેમે રાહ જોઇએ
…….સોમવાર થી રવિવાર એ.
ભક્તિ કરીએ પ્રેમ ભાવથી અમૃત મેળવી લઇએ
જીવને મુક્તિ મળી જાય જ્યાં માનાચરણે જઇએ
મા સંતોષી અતિદયાળુ નામાગણી કરવી જોઇએ
મુક્તિ દ્વારે આવે માડી જ્યાં અંત અવણીએ આવે
…….સોમવાર થી રવિવાર એ.
+++++++++++++++++++++++++++++++++