November 13th 2009

સાચી માયા

                        સાચી માયા

તાઃ૧૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપને જોઇને સંતાનને થાય
સંતાનને જોઇને માબાપને થાય
જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય
સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય
સફળતા જોઇને મહેનતથી થાય
પતિને જોઇને પત્નીને થાય
પત્નીને જોઇને પતિને થાય
કાગળ પેન જોઇને લખનારને થાય
ભાઇને જોઇને બહેનને થાય
બહેનને જોઇને ભાઇને થાય
માલીકને જોઇને પ્રાણીને થાય
સભાને જોઇને નેતાને વાણીથી થાય
સંગીતને સાંભળી કાનને થાય
મીઠાઇને જોઇને જીભને થાય
સુંદરતા જોઇને આંખને થાય
લાગણી મેળવીને હ્રદયને થાય
કલાકારને જોઇને કલા માણનારને થાય
વાંચનારના પ્રતિભાવ વાંચીને કૃતિકારને થાય
દુઃખ મળતા પરમાત્માની થાય
જીવના કલ્યાણ માટે ભક્તિથી થાય
દમડી જોઇને ભિખારીને થાય

================================

November 13th 2009

મારે આંગણે

                     મારે આંગણે

તાઃ૧૨/૧૧/૨૦૦૯     (ગુરુવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
                          …………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
                          …………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની ,ના વ્યાધી છે જગમાં
મળશે જગે માયાથીમુક્તિ,જ્યાં વળગે ભક્તિ જીવે
                          ……….આજ મારે આંગણે રે

++++++++++++++++++++++++++++++++++++

November 11th 2009

ભક્તિ સાથે ભજન

                     ભક્તિ સાથે ભજન

તાઃ૧૦/૧૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
                         ……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી   ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
                         ……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને જોતાં,મળે પ્રભુની અનોખી પ્રીત
ભક્તિને સંગાથ મળે ભજનનો,સ્વર્ગ પામવાની રીત
                        ………માનવદેહની વિટંમણામાં.

+++++++++++++++++++++++++++++++++

November 11th 2009

સનાતન સત્ય

                     સનાતન સત્ય

તાઃ૧૦/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત પુ.સાંઇબાબા સિવાય જગતના કોઇપણ દેહનુ અસ્તિત્વ
માબાપ વગર શક્ય નથી.
કુળ કરતાં તમારી સંસ્કારી સમજ એ જીવનને પવિત્ર બનાવે છે.
અલ્લાહનુ કોઇ સ્વરુપ ન હોવા છતાં તેમાં રહેલી શ્રધ્ધાએ જીવ
મુક્તિ મેળવે છે.
જીવના અસ્તિત્વ સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
જીવના ઉધ્ધાર માટેના અનેક સ્વરુપો છે.
જીવને મળેલ દેહમાં બીજા જીવોના સંબંધ જ્યાં ત્યાં અને
ત્યારે પુરા કરવા જ પડે છે.
જીવ અને કર્મના સંબંધમાંથી પરમાત્મા જ મુક્તિ આપી શકે છે.

અને છેલ્લે…….
                    જન્મ અને મૃત્યુના ફેરામાંથી સાચી ભક્તિ અને સંસ્કાર
જ મુક્તિ આપી શકે છે.

November 10th 2009

મેળવી લીધી

                    મેળવી દીધી

તાઃ૯/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
                            …….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથેરખાય
                            …….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ ખોલતા પ્રભુ પધારે,ત્યાં જન્મ સફળ થાય 
                            ……..સચ્ચાઇને સંગે રાખી.
શક્તિ એકને નામ અનેક,જે ધરતીએ છે ભજાય
મોહ,માયાને મમતાસાથે,ત્યાં નાપ્રભુપ્રેમવર્તાય
ભીખ પ્રભુથી મુક્તિની,જે જીવની સાથે સંધાય
દુનીયાના બંધનને છોડતા,જલાસાંઇ મેળવાય
                           ……..સચ્ચાઇને સંગે રાખી

*************************************

November 9th 2009

ક્ળીયુગી પ્રેમ

                    કળીયુગી પ્રેમ

તાઃ૮/૧૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
                  ………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
                   ……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે  ચિંતા, કે ના રહે કોઇ ઉમંગ
કળીયુગી પ્રેમમાં પડી જતા,અંત રહે ના ક્ષેમ
                    ……..હાય બાયની બાંય પકડી.
હાય કહેતા વળગીચાલે,ના પ્રીત મનથી હોય
લાગણીને દઇ મુકી માળીયે,શોધતા જગે પ્રેમ
શબ્દોની માયાને લેતા,ના બચીશક્યુ કોઇ એમ
વિખરાયેલ લહેર વાળથી,બાય મનથી કહેવાય
                     ……. હાય બાયની બાંય પકડી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

November 8th 2009

મન કહે

                                મન કહે

તાઃ૭/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલમાં પ્રેમ રાખજે
                    ઉભરોના છલકાય

લગામ ઘોડાને બાંધજે
                      સાચી કેડીએ રહેવાય

મિત્રોને સંગ રાખજે
                      તકલીફોથી છુટાય

પ્રભુનુ શરણુ રાખજે
                       જીવતર સચવાઇ જાય

મહેનત મનથી કરજે
                       સફળતા સંગ ચાલશે

પ્રકૃતીને તુ પારખજે
                     ભીતિ તનથી ભાગશે.

ભણતરને પારખજે
                    જીવનના સોપાન મહેંકશે

કિર્તી ક્યાંકથી આવશે
                    જીવન ઉજ્વળ લાગશે

પારકાને પારખજે
                     શાંન્તિ દોડતી આવશે

========================

November 8th 2009

કામ,કર્મ અને વર્તન

                  કામ,કર્મ અને વર્તન

તાઃ૭/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની માનવીમાં સમયે, ઝેર અમૃત મળી જાય
કામ,કર્મ ને વર્તનસાચવતા,આ જીવન પાવન થાય
                             …….જીંદગીની માનવીમાં સમયે.
દેહ મળતા અવનીએ, જીંદગીમાં કામ આવી જાય
સમજી વિચારી કરી લેતા,સફળતાનો આનંદ થાય
અવનીપર ના બંધનમાં,સમજી વિચારી તરી જાય
શાંન્તિનો સહવાસ પણ મળે,ને જીવન ધન્ય થાય
                           ………જીંદગીની માનવીમાં સમયે.
કર્મ છે સંસારનો પાયો, સંસ્કાર સિંચનમાં સહવાય
ભક્તિનો સાથલેતાં જીવનમાં,માનવતા મળી જાય
ડગલુ માંડતા દેખાવ નાઆવે,ત્યાં પ્રેમ આવીજાય
કર્મના બંધન છે જીવ સગપણ,મૃત્યુ એ મળી જાય
                              …….જીંદગીની માનવીમાં સમયે.
બાળપણ જુવાની સાચવતા,વડીલો  ખુબ હરખાય
આદરમાન ને વળગી રહેતા,પ્રભુ કૃપા મળી જાય
વર્તનનીસાંકળછે ઉત્તમ,જગતમાં પ્રેમને મેળવાય
પરમાત્માની દયા મળે,ત્યાં  જીવનો ઉધ્ધાર થાય
                              ……..જીંદગીની માનવીમાં સમયે.

*********************************************

November 7th 2009

આંસુ આંખના

                      આંસુ આંખના

તાઃ૭/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી અને જીવન, એ તો કૃપા થકી મળી જાય
સફળને સાર્થક બની રહે,જ્યાં પ્રેમથી ભક્તિ થાય
                              …….જીંદગી અને જીવન.
પ્રેમ  માતાનો પામવાને,બાળક ઉંવાઉંવા કરી જાય
ગોદમાં લઇ સંતાનને,માતાનુ વ્હાલ ત્યાં મળી જાય
પાપા પગલી જોઇ,માની આંખમાં આંસુ આવી જાય
સરળ રહેલ સંસારમાં,સાચાપ્રેમના બંધન મળી જાય
                             ……..જીંદગી અને જીવન.
પ્રેમનીસાંકળ મળી જતાં,જગમાંપ્રેમ સાચો મળી જાય
હૈયામાં એ ઉભરાય એવો,જે કોઇથી ના સમજી લેવાય
શબ્દનો ના સહારોમળે,કે નારહે દુનિયામાં કોઇ  દેખાવ
મિત્રતાના સહવાસમાં,આંખમાં પ્રેમનાઆંસુ આવીજાય
                              ……..જીંદગી અને જીવન.
દેહ મળતા અવનીએ,લોહીના બંધન જીવનેમળી જાય
સગા સંબંધીઓના બંધનમાં,દેહને  અવસર મળી જાય
જન્મ અને મૄત્યુનો અણસાર, જીવના બંધનથી લેવાય
અવસરઆગમન વિદાયનોજોતા,આંખ આંસુથીઉભરાય
                             ………જીંદગી અને જીવન.

=+_+_+_+_+_+_+_+_+_++_+_+_+_+_+_+_+_+=

November 4th 2009

દુઃખની માગણી

                 દુઃખની માગણી

તાઃ૩/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
                             …….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
                          ……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ મળતાં માનવીનો,દુઃખમાં જલાસાંઇ ભજાય
                             …….માનવ જીવન મળતાં.
માનવ દેહ અમુલ્ય બને, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
દુઃખજ્યારે આવે જીવનમાં,ત્યાં શરણુ પ્રભુનુલેવાય
માગણીમનથી કરતાં દુઃખની,મળે જલાસાંઇનો પ્રેમ
ભક્તિના ડુંગર પકડી  લેતો, જીવને મુક્તિ મળે જેમ
                              …….માનવ જીવન મળતાં.

====================================

« Previous PageNext Page »