November 3rd 2009

પ્રભુની શોધ

                     પ્રભુની શોધ

તાઃ૨/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇઅભિલાષા
                            ……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
                          ………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
                           ………દીવો લઇને દરીયો ઘુમ્યો.

***************************************

November 3rd 2009

પાપનો ભાર

                         પાપનો ભાર

તાઃ૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
                       …….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
                         ……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો પવિત્રમનથી થાય
કુદરતના એ પવિત્ર નિયમ,જે ભક્તિ એ જ દેખાય
જગતજીવને શાંન્તિ દેતા,ના પાપ તમને અથડાય
                       ………ડગલે પગલે મહેંક વરતાવે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

November 3rd 2009

પુણ્યનો પ્રતાપ

                       પુણ્યનો પ્રતાપ

તાઃ૨/૧૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
                              …….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ  મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
                              …….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
                            ………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
                             …….શીતળતાની વર્ષા જ્યાં.

===================================

November 1st 2009

वतन प्रेम

                    वतन प्रेम

ताः१/११/२००९                          प्रदीप ब्रह्मभट्ट

जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है
पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है
                     ……..जन्म मीला जीस धरती.
अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है
जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है
नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है
समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है
                   …….. जन्म मीला जीस धरती.
वतन है मेरा भारत,जीसपे रामकृष्णभी आये थे
पवित्र पावन धरती है,जहां रुषीमुनी मीलजाते थे
भक्तिप्रेमका बंधन न्यारा,जीवन पावन करजाता है
वंदन मेरी जन्मभुमीको,मेराजन्म सार्थककरना है
                       ……..जन्म मीला जीस धरती.
कळीयुगकी ना कोइ चिंता,सुखदुःख संग रहेते है
वाळी वर्तन प्रेम भक्तिसे,वो मनको शांन्ति देतीहै
जीवनजीवकानाता पुराना,ना इन्सान समझपायेगा
भेदभावको छोड चले तब,वतन प्रेम मील जायेगा
                    ………. जन्म मीला जीस धरती.

+++++++++++++++++++++++++++++++++++++

November 1st 2009

ભક્તિની લગની

                  ભક્તિની લગની

તાઃ૧/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અણસાર દીઠો ભક્તિનો,જ્યાં ઉજ્વળ જીવન થાય
પવિત્રપ્રેમ મળે માબાપનો,ને જીવને શાંન્તિ થાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
બાળપણની બારાખડીમાં,ભક્તિનો કક્કો મળી જાય
ભણતર સંગે ચણતર ચાલે,ત્યાં પાવન જીવનથાય
મળતી માયા દ્વારે દ્વારે,ના જીવથી અળગીએ થાય
પરમેશ્વરની કૃપા પામતા,દુર જીવથીએ ભાગી જાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
સંસારનો સંગાથ રહે જીવે,ને ભાઇભાંડું પણ હરખાય
સાર્થક જન્મ જીવનો કરવાને, પ્રભુ ભક્તિ પ્રેમે થાય
લગનીલાગે મનથી રામની,જે ભક્તિથીજ ઓળખાય
મૃત્યુમાં પણ મહેંક મળે,જ્યાં ભક્ત જલાસાંઇ ભજાય
                            ……..અણસાર દીઠો ભક્તિનો.
અંતરથી જ્યાં પ્રકટે પ્રેમ,ના જગના મળે કોઇ વ્હેમ
મનનીશાંન્તિ ને માનવતાએ,આજીવન ખીલી જાય
સદા સાથ રહે ભક્તિનો,ત્યાં માનવતા મહેંકી જાય
ઉજ્વળ માનવ જન્મ થતાં,ના અવનીએ ફરી મળે
                               ……..અણસાર દીઠો ભક્તિનો.

$$$$$$$=======//////////////———-###########

« Previous Page