February 5th 2010

દેહનુ આગમન

                       દેહનુ આગમન

તાઃ૫/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેલા જીવને જગમાં,કર્મના બંધન હોય
વાણી વર્તન સાચવી જીવતાં,ના તકલીફ જોઇ
                     ……..જન્મ મળેલા જીવને જગમાં.
આગમનનો અણસારમળે,જ્યાં મોહમાયા દેખાય
કર્મ તો  દેહના છે સંસ્કાર,ના કોઇથીજગે લેવાય
સાચી શ્રધ્ધા મનમાં  રહેતાં,કામ સરળ સૌ થાય
મળીજાય આશીર્વાદ દેહને,જન્મ સફળ થઇ જાય
                        ……..જન્મ મળેલા જીવને જગમાં.
માનવ મનની રીત નિરાળી,જ્યાં સરળતા દેખાય
ચાલીનીકળે એ માર્ગપર,ના અણસાર કોઇ વર્તાય
સમયઆવતાં પારખમળે,ના હાથમાં ત્યારે લેવાય
તકલીફોનો ભંડાર મળેત્યાં,જ્યાં દેખાવને મેળવાય
                       ……….જન્મ મળેલા જીવને જગમાં.
દેહ મળે જગે જ્યાં જીવને,ત્યાં કર્મ નિરખાઇ જાય
માનવદેહને તકમળે જીવનમાં,જે મુક્તિએ જવાય
ભક્તિપ્રેમને પારખી લેતા,જગે પુંજન અર્ચન થાય
સાચા સંતની કૃપા  મળે,જ્યાં મુક્તિ જીવને દેખાય
                        ……….જન્મ મળેલા જીવને જગમાં.

###############################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment