આગમન અવનીનુ
આગમન અવનીનુ
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
…………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન ધરતી પર દીસે,જીવને માનવદેહ મળી જાય
જીવને મુક્તિનો આધાર મળે,જ્યાંએ સાત્વીક વિચારાય
પ્રભુભક્તિનો અણસારસંતથી,જે તેમના અનુભવે દેખાય
પકડી સાચીકેડી જીવે જ્યાં,ત્યાં આધીવ્યાધી ભાગી જાય
………….જીવને ઝંઝટ જગતમાં છે.
મંદીર મસ્જીદ કે દેવળ,અવનીએ છે ભક્તિના નાનાદ્વાર
આવી જાય જ્યાં ભક્તિ ઘરમાં,ત્યાં પરમાત્માય હરખાય
મળે પ્રેમ જલાસાંઇ જેવા સંતનો,જે ભક્તિ ઉજ્વળ થાય
પરમાત્માનીપરિક્ષાએ આદેહો,દેહના જન્મસફળ કરીજાય
………જીવને ઝંઝટ જગતમાં છે.
=================================