દયાનો સાગર
દયાનો સાગર
તાઃ૨૮/૨/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમથી કરતાં દેહને,જગે પ્રભુ કૃપા મળી જાય
પરમાત્મા છે દયાનોસાગર,શ્રધ્ધાએ જીવસુખી થાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
મનમાંરાખી હેત પ્રભુથી,માનવ જીવન જ્યાં જીવાય
મળી જાય આત્માને શાંન્તિ,ત્યાં પાવન કર્મ જ થાય
આશીર્વાદની વર્ષા વરસે,જ્યાં માનવતા છે મહેંકાય
મળીજાય સુખશાંન્તિ દેહને,ને જગેજીવનપણ જીવાય
………ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
પરમાત્માને હાથ જોડતાં,દેહ પર એક દ્રષ્ટિ પડી જાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જીવને ઉજ્વળતાજ દેખાય
સાર્થક માનવ જન્મથાય,જ્યાં કૃપા જલાસાંઇની થાય
આવીઆંગણે ભક્તિપધારે,જે જીવનુ કલ્યાણ કરી જાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
માગણી માનવી મનની,ના જગમાં કોઇથી એ રોકાય
આવતાં અવનીપર દેહથી,કળીયુગ ત્યાં વળગી જાય
ભક્તિમાં છે એક માગણી,કે જીવનુ કલ્યાણ જગે થાય
મોહમાયાના બંધન તુટે,ને જીવે પવિત્રતા મળી જાય
………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
**********************************