March 15th 2010

જીવની પકડ

                      જીવની પકડ

તાઃ૧૫/૩/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લીધો મેં હાથ પ્રભુનો,મળી જીવને શાંન્તિ
આધિ વ્યાધી દુર ભાગતી,જીંદગી પણ મલકાતી
                    ………પકડી લીધો મેં હાથ પ્રભુનો.
આજકાલની ચિંતા તેને,ના જેને કોઇ છે સંગાથી
જન્મમૃત્યુ પણ મળતુ જીવને,ભક્તિથી જે અળગુ
મન વિચારને વાણી એવી,પ્રભુ કૃપાને વરસાવે
માગણી મનથી નાદેહથી,જે મુક્તિ માર્ગ બતાવે
                  ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.
ભક્તિ એછે શક્તિ જીવની,જેઉજ્વળતા સંગે રાખે
આવે આંગણે પ્રેમ લઇને,સંત બનીનેએ સહવાસે
સાચી રાહની કેડી મેળવતાં,મોહ માયા ના વળગે
મળશે મુક્તિદેહને ત્યારે,જ્યારે જીવ પ્રભુકૃપા લેશે 
                   ……….પકડી લીધો મેં હાથ પ્રભુનો.
જીવને મળશે પ્રેમ પ્રભુનો,ના વ્યાધી કોઇ મળશે
દુરદુરથી એ જોતીરહેશે,પણના નજીકએ ભટકાશે
કુદરતની આઅપારલીલા,નામાનવીથી સમજાશે
જલાસાંઇની ભક્તિકરતાં,મુક્તિના દ્વાર ખુલીજાશે
                  ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.

====================================

March 14th 2010

લાકડીની ઓળખ

                       લાકડીની ઓળખ

તાઃ૧૪/૩/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જગતપર,મળે અનેક જીવને સોપાન
કુદરતની છે કૃપાનિરાળી,જે જીવના વર્તનથી દેખાય
                      …………મળે માનવદેહ જગત પર.
આગળ ચાલે છાતી કાઢી,ના જુએ કદી એ આજુબાજુ
સમયને પારખી નાચાલતા,વાગીજાય જીવનમાંવાજુ
અહંમ આબરુ દુર જ ભાગે,જ્યાં પડી જાય લાકડી બૈડે
સમજ ત્યાં દોડી આવે દેહે,જે સમજ થી સઘળુ દઇ દે
                       ………..મળે માનવદેહ જગત પર.
ઉંમરના બંધન તો સૌને,ના છટકીશકે કોઇ મળેલ દેહે
આજકાલની ગણતરીસાથે,માનવઉજ્વળ જીવનતરસે
મલી જાય જ્યાં ટેકો લાકડીનો,દેહે પગલાં મંડાઇ જાય
મળી જાય મનને શાંન્તિ ત્યાં,લાગે પ્રભુ કૃપાછે વરસે
                       ………..મળે માનવદેહ જગત પર.

=================================

March 13th 2010

કૃપાળુ જીવન

                        કૃપાળુ જીવન

તાઃ૧૩/૩/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃદુ પવનની જ્યાં લહેરમળે,ત્યાં  હૈયુ હરખાઇ જાય
નિત્ય પ્રેમની જ્યોત જલે,ત્યાં જીવન ઉજ્વળ થાય
                    ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
આગમને અવનીએ જીવ,આધી વ્યાધીમાં અટવાય
સરળતાની શોધ મળતા,માનવ જીવન છે લહેરાય
મળે એક મહેંક પ્રેમની,સરળતા જીવનમાં  કેળવાય
આંગણુ  ઉજ્વળ દીસે,ને સરળજીવન પણ મેળવાય
                    ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
નિત્ય સવારે નિર્મળ હૈયે,પરમાત્માની ભક્તિ થાય
મોહ માયાના બંધન છુટે,ત્યાં કરુણાની વર્ષા થાય
ડગલેપગલે પ્રેમમળે,ને પવિત્રજીવન જીવી જવાય
મનની માયા દુર ભાગે,ને જગના બંધન છુટી જાય
                    ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.

***********************************

March 12th 2010

વસંતને વધામણા

                         વસંતને વધામણા

તાઃ૧૨/૩/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો આવ્યો વસંત વ્હાલો,લાવ્યો મહેંક અનેરી
સુગંધ એવી આવી જગપર,ખુશી માનવી મનથી
                   ………..આવ્યો આવ્યો વસંત વ્હાલો.
મૃદુ પવનની લહેર મળે,ને મન પ્રફુલ્લિત થાય
શ્વાસોશ્વાસની દરેક પળે,સુગંધ પણ પ્રસરી જાય
લાગે માયા કુદરતની,ત્યાં જીવન ઉજ્વળ થાય
લેખ લખેલ ઉજ્વળલાગે,ને ભક્તિ પણ મેળવાય
                   …………આવ્યો આવ્યો વસંત વ્હાલો.
સ્નેહની સાંકળ મળતાં જીવને,ઋતુ ઋતુ પરખાય
મેધગર્જના ત્રાટક લાગે,ને વસંતે માનવ હરખાય
પુષ્પખીલી જ્યાં રંગેપ્રસરે,ત્યાંનૈનો  પણ લલચાય
આવી રહેલીપ્રેમની હેલી,લીલા કુદરતનીકહેવાય
                  ………….આવ્યો આવ્યો વસંત વ્હાલો.

==================================

March 11th 2010

જ્ન્મદીનનો પ્રેમ

                            જન્મદીનનો પ્રેમ

તાઃ૧૧/૩/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ માનો સંતાન પર,એતો સંતાનના વર્તનથી દેખાય
આંગળી પકડી માતાની,જ્યાં વ્હાલા સંતાન ચાલી જાય

પુનીતાનો છે પ્રેમ મમ્મીપર,ને ભાવનાની  પણ ભાવના
ખુશી ખુશીને લાવીતાણી,મમ્મીના જીવને દેવાને લ્હાણી
પ્રેમપારખી સંતાનનો ઘરમાં,મમ્મીને અનંતઆનંદ થાય
ખોબેખોબે પ્રેમ સંતાનઉલેચે,ત્યાં મમ્મી ખુબમલકાઇ જાય

પ્રીસીલાનાપગલાં પણપ્રેમી,એ મમ્મીનેપ્રેમે ટેકો દઇ જાય
કૃષ્ણા મેળવે સધળોપ્રેમ,જે વ્હાલીમમ્મીને બહેનોથીદેવાય
સધળુ જીવન પાવનલાગે,જ્યાં પ્રેમે મમ્મી મલકાઇ જાય
જન્મદીન છે આજે મમ્મીનો, જે ઉજવતા સંતાનો હરખાય

આવ્યા હ્યુસ્ટન સંતાન સંગે,કરી દારેસલામને પ્રેમે સલામ
આશીર્વાદની વર્ષા થતા જીવનમાં,મળ્યા ઉજ્વળ સોપાન
આજે જન્મદીન વ્હાલીમમ્મીનો,જે ભોજનમાં પ્રેમે ઉજવાય
પ્રદીપ,રમા પ્રાર્થે જલારામબાપાને,દેજો સુખશાંન્તિ અપાર

===================================
      તાઃ૧૧/૩/૧૯૩૯ના રોજ જન્મેલા વિપુલાબેન વાલંબીયા આજે
૧૧/૩/૨૦૧૦ના રોજ ૭૧મા વર્ષમાં પ્રવેશ પામતા તેમના સંતાનોને
ખુબજ આનંદ થાય છે તેની યાદરૂપે તેમના સંતાનવતી આ લખાણ
તેમને અમારા તરફથી અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ બ્રહ્મભટ્ટ ના જય જલારામ તથા
              તથા ચી.દીપલ,નિશીત ના જય શ્રી સ્વામીનારાયણ.
તા૧૧/૩/૨૦૧૦                                                 ગુરૂવાર

+++++++++++++++++++++++++++++++++++++++

March 9th 2010

હાથમાં હાથ

                               હાથમાં હાથ

તાઃ૯/૩/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ દેહને સદા જીવનમાં,થાય સરળતાનો સહવાસ
એકબીજાના પ્રતિભાવને છોડતાં,હાથમાં હાથ મેળવાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
કુદરતની આ અપારલીલા,જે માનવ મનથી વિચારાય
ડગલે ડગલું માંડતાં જીવનમાં,ઝંડો સફળતાનો લહેરાય
મળે પ્રેમ ને સ્નેહ નિર્મળ,જ્યાં માનવજીવન છે જીવાય
આવે આંગણે સદા સરળતા,જે જીવન પાવન કરી જાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
મળે સંગાથ કુટુંબનો,ને સાથે મિત્રોની મિત્રતા કેળવાય
પડતાં આખડતાં બચાવે,જ્યાં સાચો સાથ સૌનો લેવાય
આગળની  નાવ્યાધી આવે,ને નાભુતકાળનો મોહદેખાય
મળી જાય ઉજ્વળદેહ આભવે,જ્યાંસાચા સંતોને પુંજાય
                        ………..માનવ દેહને સદા જીવનમાં.
મિત્રોની મિત્રતા મેળવાય,જ્યાં સાચી રાહ મળી જાય
આવે સંગે ડગલે પગલેએ,ના મુંઝવણ કોઇપણ દેખાય
આવતી ભાગે તકલીફ દુર,જે જીવનમાં ક્યાંક ભટકાય
સફળતાની પગથી મળે,ને સરળતા જીવનમાં લેવાય
                       …………માનવ દેહને સદા જીવનમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

March 8th 2010

કાતરની કેડી

                          કાતરની કેડી

તાઃ૮/૩/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સીધી રાહે જ ચાલવુ જગે,ને ના રાખવો કોઇ મોહ
શરૂ થાય જ્યાં કાતરનુ કામ,નારહે તેમાં કોઇ ટોક
                    ……….સીધી રાહે જ ચાલવુ જગે.
મન મતી નો ના ભરોશો,ક્યારે એ બદલાઇ જાય
સ્વાર્થલોભ જ્યાં મળી જાય,ત્યાં ગાડી વાંકી જાય
કળીયુગમાં છે કાતર એવી,જેને સૌ દીસે સરખાજ
ચાલે જ્યારે કાગળ પર,નાકદી એમાં છે ગડભાંજ
                   …………સીધી રાહે જ ચાલવુ જગે.
માનવીમન જ્યાં ચાલે સીધું,ના કોઇ આવે તકરાર
અવનીપરના આગમને દેહે,ચાલવુ જગતમાં ટટ્ટાર
ના વ્યાધી કે મળે ઉપાધી,ના ટકી રહે એ પળવાર
કેડી સીધી મળતીજ ચાલે,મળીજાય  સીધી લગામ
                    ………..સીધી રાહે જ ચાલવુ જગે.

+++++++++++++++++++++++++++++++

March 6th 2010

બારણુ ખુલ્યુ

                              બારણુ ખુલ્યુ

તાઃ૬/૩/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેછે જીવને જગતપર,જે દેહ થકીજ દેખાય
માનવ જન્મ જ સાર્થક છે,જે પ્રભુ કૃપાથી મેળવાય
                      …………જન્મ મળે છે જીવને જગત પર.
પ્રભાતના પાવન કિરણો મળે,જ્યાં બારણુ ઘરનુ ખોલાય
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં સુર્યદેવનેપ્રેમે વંદનથાય
વ્યાધી આવતી ભાગી જાય,નાપ્રભુકૃપા તેનાથી સહવાય
મળે પ્રેમ સ્નેહ જગતમાં,ને મનમંદીરના બારણા  ખોલાય
                      …… …..જન્મ મળે છે જીવને જગત પર.
મહેનત મન ને લગન રાખતાં,બાળપણમાં ભણી લેવાય
સાચીશ્રધ્ધા રાખી જીવનમાં,સોપાન ભણતરના મેળવાય
સાચીમતી ને ગતીમળતાં જીવે,પાવનકર્મ સદા થઇજાય
માન સન્માન મળતાં દેહને,ઉજ્વળતાનુ બારણુ ખુલીજાય
                        ………..જન્મ મળે છે જીવને જગત પર.

++++++++++++++++++++++++++++++++++++++

March 6th 2010

ભક્તિનુ માપ

                         ભક્તિનુ માપ

તાઃ૬/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જાય માયા જ્યાં જગની,દેહને આનંદ થાય
કુદરત કુદરત કરતો માનવી,જગમાં જ ભટકી જાય
                      ……….મળતી જાય માયા જ્યાં.
બાળપણની ભઇ લીલા એવી,જે માબાપથી દેખાય 
મળે દેહને પ્રેમ નેસંસ્કાર,ઉજ્વળ જીવને દોરી જાય
ભક્તિ કેરી દોરી દેતા જીવને,અનંતકૃપા મળી જાય
જન્મ સફળ થઇજાય જીવનો,જ્યાં કર્મ પાવન થાય
                      ………..મળતી જાય માયા જ્યાં.
જન્મમૃત્યુનો સંબંધ ન્યારો,નાજગે કોઇથીએ છોડાય
ભક્તિ સાચી થાય અંતરથી,ના દેખાવની કોઇ રીત
કર્મ બંધન સાથે ચાલી જગમાં,રાખો ભક્તિનો સંગ
મળી જાય કૃપાપ્રભુની દેહને,જન્મ સાર્થક થઇ જાય
                      ………..મળતી જાય માયા જ્યાં.

===============================

March 5th 2010

પકડાઇ ગઇ

                              પકડાઇ ગઇ

તાઃ૫/૩/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમના તાલે,માનવી જીંદગી આવી ગઇ
નીતિ અનીનિ આવીબારણે,જીવની મુંઝવણ વધી ગઇ
                         ………સંસારની સરગમના તાલે.
જીવને ઝંઝટ પકડીચાલે,જે સમય આવે ત્યારે સમજાય
કેવી રીતે આવી મળે જીવને,અને ક્યારે એ ભાગી જાય
કુદરતની આ અપાર લીલા,જે સંસારમાં સચવાઇ જાય
મળી જાય દેહને માયાનેમોહ,માનવ ભટકે ત્યાં ચારેકોર
                        ……….સંસારની સરગમના તાલે.
જન્મ જીવ ને દેહ જગતમાં,એપરમાત્માના ત્રણ પાસા
મળે છુટે ને જકડી રાખે જગે,જે જન્મે જીવને મળનારા
સાચી ભક્તિ છે સ્નેહ પ્રેમથી,જે પ્રભુ કૃપા માણી લાવે
આવેજ્યાં કળીયુગની કેડી,માનવીને નામળેકોઇ સીડી
                         ………સંસારની સરગમના તાલે.
ભાવના મનની નાપારખે,કે ના માનવમનથી દેખાઇ
પ્રભુનું શરણુ જ્યાંમળે દેહને,ત્યાંઅનીતિ પકડાઇ ગઇ
નીતિનીકેડી પકડી જે દેહે,કળીયુગે વ્યાધી આવી ગઇ
સ્નેહ દર્દને પ્રેમ દેખાવના,એ સત્કર્મે જ પકડાઇ જાય
                        ……….સંસારની સરગમના તાલે.

================================

« Previous PageNext Page »