ધનવૈભવ
. .ધનવૈભવ
તાઃ૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને,પ્રભુ કૃપાએ જ સમજાય
ધનવૈભવની માયા છુટે,જીવને પ્રભુકૃપામળી જાય
. ……………..અવનીપરના આગમનને.
પળપળને પારખતાં જીવનમાં,ભક્તિમાર્ગ મેળવાય
સુખના વાદળ જો વરસે,તોય ના જલાસાંઇને ભુલાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ સાચી થઈ જાય
નિર્મળતાનીકેડી ઉજ્વળ,નાજગે બંધન કોઇ ભટકાય
. ………………અવનીપરના આગમનને.
કર્મ કરેલા જીવનમાં જે દેહે,જીવ સંગે મૃત્યુએ જોડાય
માગણી જીવનમાં રહેઅધુરી,જે જીવને ભટકાવીજાય
વૈભવની ના મર્યાદા મળે ,જ્યાં પરમકૃપાળુ હરખાય
આવીઆંગણે ધનવૈભવ,મળેલ જન્મસફળ કરી જાય
. ……………….અવનીપરના આગમનને.
==================================