May 1st 2012

ધનવૈભવ

.                .ધનવૈભવ

તાઃ૧/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,પ્રભુ કૃપાએ જ સમજાય
ધનવૈભવની માયા છુટે,જીવને પ્રભુકૃપામળી જાય
.                            ……………..અવનીપરના આગમનને.
પળપળને પારખતાં જીવનમાં,ભક્તિમાર્ગ મેળવાય
સુખના વાદળ જો વરસે,તોય ના જલાસાંઇને ભુલાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ સાચી થઈ જાય
નિર્મળતાનીકેડી ઉજ્વળ,નાજગે બંધન કોઇ ભટકાય
.                           ………………અવનીપરના આગમનને.
કર્મ કરેલા જીવનમાં જે દેહે,જીવ સંગે મૃત્યુએ જોડાય
માગણી જીવનમાં રહેઅધુરી,જે જીવને ભટકાવીજાય
વૈભવની ના મર્યાદા મળે ,જ્યાં પરમકૃપાળુ હરખાય
આવીઆંગણે ધનવૈભવ,મળેલ જન્મસફળ કરી જાય
.                          ……………….અવનીપરના આગમનને.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment