પકડેલી કેડી
. .પકડેલી કેડી
તાઃ૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળે અવનીએ,અનેક જન્મો બાદ મેળવાય
જીવે કરેલ કર્મના એ બંધન,જે પવિત્ર કેડીએ જ સમજાય
. ……………..માનવજીવન મળે અવનીએ.
પશુપક્ષીની પ્રીત તડપતી,ના લાંબી જીવનમાં ચાલી જાય
મળે પલ માત્ર પ્રેમ બીજાનો.જે ઘડીકમાં જ પુરો થઈ જાય
પાંખો એ અણસાર છે તેનો,જે સમય સમજીનેજ ઉડી જાય
માળાનું ના બંધન છે એમને,એતો ઘડીકમાં બદલાઇ જાય
. ………………માનવજીવન મળે અવનીએ.
અવની પરના આગમને,માનવ દેહને સમજ મળી જાય
આવી બારણે પ્રભુ ભાગે,સાચી કેડીને જીવનમાં પકડાય
મોહમાયાના જ્યાં વાદળ છુટે,પ્રભાત ત્યાં ઉજ્વળ થાય
પકડેલી પવિત્રકેડી જીવનમાં,જીવને સાચીરાહ દઈજાય
. ………………..માનવજીવન મળે અવનીએ.
===================================