પકડ સમયની
. પકડ સમયની
તાઃ૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે જ્યાં અવનીપર,ત્યાં સમયથી બંધન થાય
સાધુ સંત કે પ્રભુ અવતારથીય,ના સમયને પકડાય
. ……………….દેહ મળે જ્યાં અવનીપર.
કર્મના બંધન જીવને સંકેતે,એ દેહ મળતાંજ સમજાય
મળે માનવ દેહ જીવને જ્યાં,ત્યાં મુક્તિ માર્ગ દેખાય
સાચી રાહ મેળવવા જગતમાં,ભક્તિ માર્ગ મેળવાય
સુખદુઃખની સાંકળથીછુટવા,જલાસાંઇનુ સ્મરણથાય
. ……………….દેહ મળે જ્યાં અવનીપર.
ભણતરની કેડી પકડવા,બાળપણમાં જ મહેનત થાય
ફળમળે મહેનતનુ જીવનમાં,જે લક્ષ્મીજીથી મેળવાય
ઘડપણ જ્યાં બારણુ ખખડાવે,ત્યાં સાચી ભક્તિ થાય
અંતમળે દેહનેઅવનીથી,ત્યાં પરમકૃપા પ્રભુની થાય
. ………………દેહ મળે જ્યાં અવનીપર.
================================