વ્યાધીનુ આગમન
. .વ્યાધીનુ આગમન
તાઃ૧૫/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી વ્યાધી જીવનમાં,જીંદગી ઝપટાઇ ગઈ
સરળ જીવનની કેડી ન્યારી,આવતાંજ બદલાઇ ગઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
માનવમનને શાંન્તિ જીવનમાં,સરળતા સહવાઇ ગઈ
આધી વ્યાધીને આંગણે મુકતાંજ,જીંદગી મહેંકી ગઈ
પ્રભુ કૃપાનો દોર મળતાં જીવનમાં,કેડી પકડાઇ ગઈ
જલાસાંઇની ભક્તિકરતાં,જીવનેપાવનરાહ મળીગઈ
. ……………….ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
મળેલ જીવનની મહેંક પ્રસરે,જ્યાં શાંન્તિ મળી જાય
નિર્મળ ભાવના સંગે રહેતા જ,મોહ માયા ભાગી જાય
મનમાંચિંતા ને દેહે અશાંન્તિ,જ્યાં કળીયુગીકાયાથઈ
આવી ઘરમાં એ પડીરહે,જેને વ્યાધીઓ કહેવાય ભઈ
. ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++