કૃષ્ણકનૈયો
.
.
.
.
. કૃષ્ણકનૈયો
તાઃ૧૦/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. (જન્માષ્ટમી)
કરુણા સાગર ના અવતાર,આવ્યા મુક્તિ દેવાને કાજ
આવી અવનીએ કર્તાર,કરે લીલા મનુષ્ય રૂપે અપાર
. ………………કરુણા સાગર ના અવતાર.
ગોકુળનો એ છે ગોવાળીયો ,ને મથુરાના મુરલીધર
દ્વારકાના એ ધીશબન્યા,ને રુક્શમણીની લીધી પ્રીત
લીલા કીધી કનૈયારૂપે,જગતમાં જીતી લીધાછે દીલ
ગોવાળીયાની પ્રીત ગજબની,અવનીએ લીધી જીત
. ………………..કરુણા સાગર ના અવતાર.
અર્જુન કેરા સારથી થતાં,મહાભારતમાં જોઇ પ્રીત
સાથ દીધો સંગાથી બનીને,પાંડવોને દીધીછે જીત
આગમને અણસાર દીધો,નેઉજ્વળ કીધીમાનીકુખ
પ્રેમે કૃષ્ણકહો કે કનૈયોકહો,નામળે જીવનેકોઇ દુઃખ
. ………………..કરુણા સાગર ના અવતાર.
…….++++++……….++++++………..++++++…..