સંકટ મોચક
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .સંકટ મોચક
તાઃ૧૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંકટ મોચક શ્રી હનુમાનજી,ભક્તિ માર્ગ બતાવી જાય
મુક્તિ માર્ગની કેડી બતાવી,આ જન્મ સફળ કરી જાય
. ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
શરણુ સાચુ સીતા રામનુ લેતાં,રાવણનું દહન થઈ જાય
અહંકારને નાઆંબી શકે જગતમાં,ત્યાં રાવણ મળી જાય
અવતાર અવનીએ પામીને,પરમાત્મા રાહ આપી જાય
મુક્તિજીવને મળે આવીને,જ્યાંશ્રધ્ધા સાચીજીવે રખાય
. ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
સતયુગની એ હતી સરળ કેડી,ના કળીયુગમાં છટકાય
માગણી પરમાત્માને નામે,આજે જગતમાં કરી જવાય
નાઆરો કે ઓવારો મળે જીવને,કેરાહ દેનારથી છુટાય
વણ માગેલી આફત ભાગે,જ્યાં સંકટ મોચકને ભજાય
. ……………………સંકટ મોચક શ્રી હનુમાનજી.
.———————————————————-