જલાસાંઇની છાયા
. .જલાસાંઇની છાયા
તાઃ૨૮/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળજો છાયા જલાસાંઇની,મળેલ જન્મ સફળ થઈ જાય
કૃપા અમ પર સદા રહે સંતની,એજ ભાવથી ભક્તિ થાય
. ……………………મળજો છાયા જલાસાંઇની.
નિર્મળ ભાવના મનમાં રાખીને,સદા પુંજન અર્ચન થાય
આવ્યા બાબા આંગણે અમારે,એજ કૃપા તેમની કહેવાય
સંત જલારામના દર્શન કરતાં,જીવને શાંન્તિ મળી જાય
વિરબાઇમાતાના ચરણ સ્પર્શતા,જન્મ સફળ પણ થાય
. ……………………મળજો છાયા જલાસાંઇની.
ૐ સાંઇનુ સ્મરણ કરતાં,પરમાત્મા શીવજી પણ હરખાય
ત્રિશુળનો અણસાર દેતા,ભુતપ્રેતથી ભક્તોનુ રક્ષણ થાય
માપાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપ,રમા,રવિ,દીપલ હરખાય
સર્વ રીતે રક્ષણ કરતાં ભોલેનાથજી,સદાય કૃપા કરી જાય
. …………………….મળજો છાયા જલાસાંઇની
**************************************************