September 4th 2013

ઝંઝટ

.                          .ઝંઝટ

તાઃ૪/૯/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી ઝંઝટ એ ઝાપટ છે,જે પ્રકોપ કુદરતનો કહેવાય
સુખશાંન્તિનો સંગાથમળે,એ જીવપર પ્રભુકૃપા કહેવાય
.                     ………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
યુગના બંધન એ જીવની કેડી,સાચી ભક્તિએ મેળવાય
કરેલ કર્મ જીવનો સંબંધ,જે  અવનીએ આગમન દેખાય
માગણી જલાસાંઇથી પ્રેમેકરતાં,ના જન્મ ફરી મેળવાય
મુક્તિકેરા માર્ગનેમેળવતા,જીવનો જન્મસફળ થઈજાય
.                     ……………….. મળતી ઝંઝટ એ ઝાપટ છે.
લાગણી મોહને મનથીછોડતા,જીવથી શાંન્તિને સહેવાય
અનંત આનંદ જીવનમાં મળતાજ,મોહમાયા ભાગી જાય
અજબલીલા અવીનાશીની જગતમાં,ના કોઇથીય બચાય
દેખાવનોજ્યાં સંગમળે જીવને,એજ અજબલીલા કહેવાય
.                   …………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.

===================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment