ઝંઝટ
. .ઝંઝટ
તાઃ૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી ઝંઝટ એ ઝાપટ છે,જે પ્રકોપ કુદરતનો કહેવાય
સુખશાંન્તિનો સંગાથમળે,એ જીવપર પ્રભુકૃપા કહેવાય
. ………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
યુગના બંધન એ જીવની કેડી,સાચી ભક્તિએ મેળવાય
કરેલ કર્મ જીવનો સંબંધ,જે અવનીએ આગમન દેખાય
માગણી જલાસાંઇથી પ્રેમેકરતાં,ના જન્મ ફરી મેળવાય
મુક્તિકેરા માર્ગનેમેળવતા,જીવનો જન્મસફળ થઈજાય
. ……………….. મળતી ઝંઝટ એ ઝાપટ છે.
લાગણી મોહને મનથીછોડતા,જીવથી શાંન્તિને સહેવાય
અનંત આનંદ જીવનમાં મળતાજ,મોહમાયા ભાગી જાય
અજબલીલા અવીનાશીની જગતમાં,ના કોઇથીય બચાય
દેખાવનોજ્યાં સંગમળે જીવને,એજ અજબલીલા કહેવાય
. …………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
===================================