September 17th 2013

ત્રિશુળધારી

Pitaji Shivaji

 

 

 

 

 

 

 

 

 

 

 

.                      .ત્રિશુળધારી

તાઃ૧૭//૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ત્રિશુળધારી છે અંતરયામી,માતા પાર્વતીના એ ભરથાર
અજબશક્તિશાળી છે દુનીયામાં,સાચીભક્તિ એ સમજાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
શિવજી ભોળા ને અતિ દયાળુ,ૐ નમઃશિવાયથી જ પુંજાય
સોમવારની શીતળ સવારે,પુંજન કરતા શિવજી રાજી થાય
ગજાનંદના વ્હાલાપિતા,ને મેલી શક્તિઓને એભગાડી જાય
મોહમાયાની ચાદરને હટાવીને,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
ભોળાનાથ છે અતિ દયાળુ,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજન થાય
માતા પાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપપર માની કૃપા થઇ જાય
જીવનેસાચીરાહ મળતા કૃપાએ,અવનીનાબંધન છુટતા જાય
મળે પ્રેમ જ્યાં પરમાત્માનો જીવને,જન્મ મરણ ને ટાળી જાય
.                      …………………….ત્રિશુળધારી છે અંતરયામી.

====================================