મર્કટમન
. .મર્કટમન
તાઃ૫/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવિનાશીની આ અદભુતલીલા,જીવ ક્યારે ક્યાં જઈને જકડાય
મનમાં આવતા વિચારે રગડાતા,મર્કટમને જીવ જગતે ભટકાય
. ……………………અવિનાશીની આ અદભુતલીલા.
કળીયુગમાં મળતો સહવાસ સંબંધનો,નાકોઇ જીવથી કદીછટકાય
દેખાવની લાગે નાજુક આ દુનીયા,જીવને થાપટ પડતા સમજાય
એક જ નાની સફળતા મળતા,સમજે હવે મળશે જીવનમાં ઉજાસ
મર્કટમનની કળીયુગે આજ છે કેડી,જે જીવને ખોટા માર્ગે દોરી જાય
. …………………….અવિનાશીની આ અદભુતલીલા.
માગણીની અપેક્ષા જીવની જગતે,અવનીએ જ્યારે દેહને મેળવાય
સાચી ભક્તિ સમજીને કરતાં જીવનમાં,સદમાર્ગની કેડી મળી જાય
અપેક્ષાને નેવે મુકતા જીવનમાં,સંતજલાસાંઇની કૃપા મળતી જાય
દેહ છુટતા અવનીથી જીવને,નિર્મળભક્તિએ મુક્તિમાર્ગ મળી જાય
. ……………………..અવિનાશીની આ અદભુતલીલા.
=========================================