સંજોગનો સહવાસ
. .સંજોગનો સહવાસ
તાઃ૨૭/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ લાગતા જીવનમાં,કળીયુગી કાતર આવી જાય
વણ માગેલ સંજોગમાં માનવી,અહીતહીં ભટકી જાય
. ………………….. સરળ લાગતા જીવનમાં.
પ્રેમ નિખાલસ પામી જીવતા,જીવન સાર્થક થઈ જાય
નિર્મળતાનો સંગ રાખતા,કુદરતની કૃપા મળતી જાય
ભાવના એકેડી અંતરની,જીવનમાં શ્રધ્ધાએમળીજાય
માનવતાની મહેંક પ્રસરતાં,સૌનોય સાથ મળતો જાય
. …………………….સરળ લાગતા જીવનમાં.
અવનીપરનુ આગમન,જીવની સાચી જ્યોત કહેવાય
મળે કર્મની કેડી નિર્મળ,એજ જીવના બંધન સમજાય
ભક્તિની સાચી કેડી પકડતા,ઘરમાં આનંદ મળી જાય
મોહમાયાના વાદળ છુટતા,જીવ મુકિત માર્ગેજ દોરાય
. …………………….સરળ લાગતા જીવનમાં.
===================================