પ્રેમથી પકડ
. પ્રેમથી પકડ
તાઃ૨/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે પ્રેમથી,જે મનને શાંન્તિ આપી જાય
માનવજીવનની મહેંક મળે,જ્યાં નિર્મળતા સચવાય
. ………………….જીવને સંબંધ છે પ્રેમથી.
આંટી ઘુંટી એ પરમાત્માથી,જે કળીયુગમાં બાંધી જાય
દેહ મળતા અવનીએ જીવને,સંબંધથી એ સાંધી જાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં જીવે પ્રેમથી પકડ થાય
સરળ કેડી મળે જીવનમાં,જ્યાં જલાસાઈની કૃપા થાય
. …………………….જીવને સંબંધ છે પ્રેમથી.
કર્મબંધન અવનીના બંધન,ના રાજા રાવણથી તોડાય
અભિમાનને આદર કરતાં,માનવ જીવન વેડફાઇ જાય
મળેલ પ્રેમ અંતરનો જીવને,સદમાર્ગે જ એ દોરી જાય
લાગણી મોહની કાતર છુટતા,જગના બંધન છુટી જાય
. …………………… જીવને સંબંધ છે પ્રેમથી.
===================================