ભક્તિ રસ
. ભક્તિ રસ
તાઃ૩૧/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ રસ મેળવાય
શાંન્તિનો સહવાસ મળે જ્યાં,નાઆંટીધુટીકોઇ અથડાય
. ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.
ભક્તિ કરે જ્યાં શ્રધ્ધાએ માનવી,કુદરતની કૃપા થાય
મળેલ માનવ દેહ જીવને,ઉજ્વળરાહે જ ચાલતો જાય
પ્રેમ નિખાલસ આપી દેતા,સાચાપ્રેમની જ વર્ષા થાય
સંતોનો સહવાસ મળે જીવને,સાચીરાહ પણ મળીજાય
. ………………..માનવ જીવનની મહેંક પ્રસરે.
કુદરતની જ્યાં કૃપા વર્ષે,ત્યાંજ જીવ શાંન્તિએ હરખાય
મળતા પ્રેમ જગતમાં સાચો,ના કળીયુગી અસર થાય
નિર્મળતાના સંગે જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
મળતી મોહમાયાની ચાદર,સાચીભક્તિએ ભાગી જાય
. ……………….માનવ જીવનની મહેંક પ્રસરે.
==================================