January 17th 2014

પ્રગટેલી જ્યોત

.                 પ્રગટેલી જ્યોત

તાઃ૧૭/૧/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાનો સાથ રહે જીવનમાં,ને ખુલે ઉજ્વળતાના દ્વાર
નાહકની કોઇમાગણી જીવની,કે જે બુઝાવે પ્રગટેલી જ્યોત
.               ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
માનવ જીવન સ્પર્શે જીવને,જે મળતી ચાહતથી જ દેખાય
ઉમંગપ્રેમની મળતીકેડીએ,જીવનમાં સરળતા વહેતીજાય
નિર્મળતાની રાહને પકડતા,જગતના સંબંધોનેય સચવાય
જીવને મળેલ દેહના બંધન,સમય સમયે સરળ થતા જાય
.                ………………….શીતળતાનો સાથ રહે જીવનમાં.
આવી આંગણે પ્રેમ મળતા જીવને,સંગે પ્રભુકૃપાય સહેવાય
ના માગણીની કોઇ કલમ રહે,કે ના મોહ જીવનમાં અથડાય
સરળ જીવનની નિર્મળકેડીએ,જગતે માનવતા મહેંકી જાય
સુખ શાંન્તિના વાદળ ઘેરાતા,સંત જલાસાંઇની કૃપા થાય
.             ………………….. શીતળતાનો સાથ રહે જીવનમાં.

======================================