માનવી મન
. માનવી મન
તાઃ૧૧/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહ અને માયાની ચાદર,માનવમનને દઈ દેશે દુઃખ સાગર
ઉજ્વળ જીવનની કેડી છુટતા,લઘરવઘર થઈ જીવો ભમતા
. ……………………મોહ અને માયાની ચાદર.
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં ભક્તિ સંગે આ જીવન રહેશે
કળીયુગની કેડી લાગે છે શીતળ,જીવન વેડફે એ અવનીપર
જલાસાંઇની જ્યોત નિરાળી,માનવજીવનને એ રાહ દેનારી
કર્મની શીતળકેડી મળે જીવનમાં,સુખશાંન્તિ જીવે સહેવાની
. …………………..મોહ અને માયાની ચાદર.
સરળ જીવન ના માગે મળતું,ના કદી એ મોહમાયાને અડતું
મનથી કરેલ સાચી મહેનત,જીવને દે સુખસાગરની સહેમત
અજબદ્રષ્ટિ અવિનાશીની અવનીએ,સાચીભક્તિએ એ સ્પર્શે
શ્રધ્ધાનો સંગાથ ભક્તિએ,ઉજ્વળરાહ જીવને આપે અવનીએ
. ……………………મોહ અને માયાની ચાદર.
=====================================