January 11th 2014

માનવી મન

.                      માનવી મન                              

તાઃ૧૧/૧/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ અને માયાની ચાદર,માનવમનને દઈ દેશે દુઃખ સાગર
ઉજ્વળ જીવનની કેડી છુટતા,લઘરવઘર થઈ જીવો ભમતા
.                       ……………………મોહ અને માયાની ચાદર.
નિર્મળતાના વાદળ વરસે,જ્યાં ભક્તિ સંગે આ જીવન રહેશે
કળીયુગની કેડી લાગે છે શીતળ,જીવન વેડફે એ અવનીપર
જલાસાંઇની જ્યોત નિરાળી,માનવજીવનને એ રાહ દેનારી
કર્મની શીતળકેડી મળે જીવનમાં,સુખશાંન્તિ જીવે સહેવાની
.                        …………………..મોહ અને માયાની ચાદર.
સરળ જીવન ના માગે મળતું,ના કદી એ મોહમાયાને અડતું
મનથી કરેલ સાચી મહેનત,જીવને દે સુખસાગરની સહેમત
અજબદ્રષ્ટિ અવિનાશીની અવનીએ,સાચીભક્તિએ એ સ્પર્શે
શ્રધ્ધાનો સંગાથ ભક્તિએ,ઉજ્વળરાહ જીવને આપે અવનીએ
.                       ……………………મોહ અને માયાની ચાદર.
=====================================