ભક્તિની જ્યોત
. .ભક્તિની જ્યોત
તાઃ૧૨/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં મનથી સાચી ભક્તિ થાય
પરમાત્માની પરમકૃપાએ,જીવને ભક્તિ જ્યોત મળી જાય
. …………………..ઉજ્વળ જીવનની રાહ મળે.
વાણી વર્તન સચવાઇ જતાં,જીવનની આફત ભાગી જાય
મળી જાય નિર્મળરાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ રખાય
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,જલાસાંઇની કૃપાએમળીજાય
લક્ષ્મીમાની અસીમ કૃપાએ,ના માગણી જીવનમાં રખાય
. …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.
દેહ મળે અવનીએ જીવને,જે જગે કર્મના બંધન કહેવાય
મળે માયા મોહની ચાદર જીવને,જે ભક્તિએ ભાગી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં નિખાલસ સેવા થાય
ભક્તિની એ અજબ પકડ છે,જે જીવને મુક્તિએ લઈ જાય
. …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.
====================================