January 12th 2014

ભક્તિની જ્યોત

.                   .ભક્તિની જ્યોત

તાઃ૧૨/૧/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં મનથી સાચી ભક્તિ થાય
પરમાત્માની પરમકૃપાએ,જીવને ભક્તિ જ્યોત મળી જાય
.                    …………………..ઉજ્વળ જીવનની રાહ મળે.
વાણી વર્તન સચવાઇ જતાં,જીવનની આફત ભાગી જાય
મળી જાય નિર્મળરાહ જીવનમાં,ના અપેક્ષાય કોઇ રખાય
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,જલાસાંઇની કૃપાએમળીજાય
લક્ષ્મીમાની અસીમ કૃપાએ,ના માગણી જીવનમાં રખાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.
દેહ મળે અવનીએ જીવને,જે જગે કર્મના બંધન કહેવાય
મળે માયા મોહની ચાદર જીવને,જે ભક્તિએ ભાગી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં નિખાલસ સેવા થાય
ભક્તિની એ અજબ પકડ છે,જે જીવને મુક્તિએ લઈ જાય
.                   …………………… ઉજ્વળ જીવનની રાહ મળે.

====================================