November 26th 2020

વિરપુર વાસી

 .              .વિરપુરવાસી                

તાઃ૨૬/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પવિત્રદેહ મળ્યો ભારતના વિરપુરમાં,જે પરમાત્માની કૃપા જ કહેવાય
અવનીપર દેહ લીધો જે જગતપર,વિરપુરના જલારામથીજ ઓળખાય
....એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
પ્રધાનજી ઠક્કર એ પિતાજી હતા,ને રાજબાઈ જલારામના માતા હતા
પાવનકર્મને પકડીને જીવતા જલારામ,સમયસંગે જીવનમાં ચાલતા જાય
પરમાત્માનો પ્રેમ મળ્યો જીવનમાં,જે સત્કર્મના સંગાથથી સચવાઈ જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,એ મળેલજીવોના દેહને રાહ આપીજાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
કર્મના બંધન છે મળેલદેહને,એ અનેક જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપા પ્રભુની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ કરાય
જલારામના મળેલદેહના પવિત્રકર્મ,જ્યાં પરમાત્માથી જીવને રાહ દેવાય
પત્ની વિરબાઈને પ્રેરણા કરીને,સંતની સેવા કરવા માટે એ પ્રેરી જાય
...એવી પવિત્રરાહ માનવીને દેવા આવ્યા,જીવનસંગીની પણ પાવનરાહે જીવી જાય
****************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment