શેરડી સાંઈ
******
.શેરડી સાંઈ તાઃ૨૬/૧૧/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પાવનકૃપા કરી પરમાત્માએ,જે સંત સાંઇબાબાના આગમનથી દેખઈ નિર્મળ જીવનની રાહ લઈને પધાર્યા,જે શેરડીગામને પવિત્ર કરી જાય ...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય. પવિત્રભુમી ભારતછે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી આવી જાય શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને જન્મમરણથી જ સમજાય અવનીપરનુ આગમન વિદાય,એ સંબંધ જીવનો થયેલ કર્મથી મેળવાય મળેલ માનવદેહ એજ કૃપા પ્રભુની,જે જીવને પ્રાણી પશુથી છોડી જાય ...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય. વ્હાલા મારા સાંઇબાબા શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઈથી મદદ કરાય જીવને મળેલ દેહ પર પાવનકૃપા,જે સાંઈબાબાના આગમનથી સમજાય અવનીપર પધારી આંગળીચીંધી,મળેલ દેહને નાધર્મકર્મથી અલગ રખાય મળેલદેહને સંબંધ શ્રધ્ધાસબુરીનો,જે બાબાકૃપાએ માનવીથી ઓળખાય ...એવો પાવનપ્રેમ મળે બાબાનો,જે માનવદેહના જીવને જન્મમરણથી સમજાઈ જાય. *****************************************************************